Quote Archive
RSS

#forgiveness 24

mercy hope forgiveness

ખરેખર ઈશ્વર પોતાની મહાન દયાની વિશાળતા હોવા છતાંય પોતાની દયાથી મનુષ્યની નિરાશા અને પોતાની માફીથી તે (મનુષ્ય)ની હતાશા પર ખૂબ આશ્ચર્ય કરે છે.

Indeed, despite the vastness of His great mercy, God wonders at a servant's despair of His mercy and hopelessness of His forgiveness.

પસ્તાવો એટલે દિલથી પસ્તાવો થવો, જીભથી માફી માંગવી, અંગો દ્વારા પાપ છોડી દેવા અને (ભવિષ્યમાં ક્યારેય) તે પાપ ન કરવાનો પાકો ઇરાદો કરવો.

Repentance means feeling remorse in the heart, asking for forgiveness with the tongue, giving up sin with the limbs, and firmly resolving never to return to that sin.

નિંદા કરવાથી બચો કારણ કે નિંદા વ્યભિચાર કરતાંય ગંભીર છે; ખરેખર એક માણસ વ્યભિચાર કરે, પછી પસ્તાવો કરી લે તો ઈશ્વર તેનો પસ્તાવો સ્વીકારી લે છે જ્યારે કે નિંદા કરનાર ત્યાર સુધી માફ કરવામાં નથી આવતો જ્યાર સુધી તે જેની તેણે નિંદા કરી છે તેની માફી ન માગી લે.

Beware of backbiting, for backbiting is graver than adultery; a person may commit adultery and repent, and God accepts his repentance, whereas the backbiter is not forgiven until the person he backbit forgives him.

forgiveness anger strength

તમારામાં સૌથી બળવાન તે છે કે જે ગુસ્સાના સમયે પોતાના મનને કાબુમાં રાખે. અને તમારામાં સૌથી ભારે વજન ઊચકનાર તે છે કે જે (સજા આપવાની) તાકાત ધરાવવા છતાંય માફ કરી દે.

The strongest among you is the one who controls himself in moments of anger, and the bearer of the heaviest load is the one who forgives despite having the power to punish.

ઈશ્વરના સેવકો! સાવધાન! સાવધાન! કારણ કે ઈશ્વરની સોગંદ તેણે (તમારા પાપોને) છૂપાવી દીધાં છે, એટલે સુધી જાણે કે તેણે (તમને) માફ કરી દીધાં હોય. અને તેણે (તમને) મહેતલ આપી છે, એટલે સુધી જાણે કે તે (તમારી ભૂલોને) ભૂલી ગયો હોય!

O servants of God! Beware, beware! For by God, He has concealed your faults to such an extent that it seems as if He has forgiven you; and He has granted you respite to such an extent that it seems as if He has overlooked them!

શ્રદ્ધાળુની નફરત માત્ર ક્ષણિક હોય છે, પછી જ્યારે તે પોતાના ભાઈથી અલગ થઈ જાય છે ત્યારે પોતાની અંદર કોઈ ગુસ્સો નથી પામતો જ્યારે કે અશ્રદ્ધાળુની નફરત આજીવન હોય છે.

A believer's resentment is only momentary; once he departs from his brother, he harbors no ill feeling, whereas an unbeliever's malice lasts a lifetime.